પૃષ્ઠો

શનિવાર, 8 ડિસેમ્બર, 2012

ગુરુ પુર્ણિમા ઉજવણી

ગુરુ પુર્ણિમા

ઉજવણી

શાળામાં તા.૨-૭-૨૦૧૨ના રોજ ગુરુ પુર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રાર્થના સભામાં ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છેતેના વિશે વિધાર્થીઓને માહિતી આપી �ગુરુ મહિમા વિશે વાર્તાલાપ રાખી શાળાના વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ગુરુ મહિમા
મનુષ્યનેજન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાનવિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવામાટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન.ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે.ગુએટલે અંધકાર અનેરૂએટલે પ્રકાશ.શિષ્યમાંઅજ્ઞાન રૂપીઅંધકારનેદુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષછે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , જેમને જીવન મૃત્યુથી ઘેરાયેલુંલાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાનીઅભિલાષા પ્રગટી છે એવા �લોકો જ સાચા ગુરુને શોધી શકે છે.પરમાત્માને શોધવામાટે કોઈ કૈલાસ ,કાશી કે કાબામાં જવાની જરૂર નથી.પરમાત્મા ત્યાં છે જ્યાંસદગુરૂનો વાસ છે.ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. તેથી ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ .�
ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
વળી,
ગુરુગોવિંદદોનું ખડેકિસકોલાગુપાય,બલિહારીગુરુઆપકી, ગોવિંદદિયોબતાય“
અર્થાત,ગુરુનીમહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતાપ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એનીઝાંખી કરી શકે છે.�
શાસ્ત્રો, ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયાં છે.
ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમનેવફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે.�
એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ�દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ�કહેવાય�!�
ગુરુ-શિષ્યપરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણઅને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવીગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાંછે.આ�દ્રષ્ટાંત એ સૂચવે છે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈભેદ હોતો નથી.એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે.
ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાંવચનો અને ઉપદેશ એ એક મંત્ર �જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટેમોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.


સ્થળ : ડીસા
તારીખ : 02/07/2012

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો