અધિનિયમ અને નિયમો
પૃષ્ઠો
- હોમ
- ઓજસ ઓનલાઈન એપ્લાય
- જમીન રેકર્ડ ઓનલાઈન
- સી.પી.એફ. ઓનલાઈન
- શિક્ષણ વિભાગ
- નાંણા વિભાગ
- સામાન્ય વહિવટ વિભાગ (GAD)
- જીતુભાઈ ગોઝારીયા નો શિક્ષણ બ્લોગ
- કમિશ્નર શાળાઓની કચેરી
- ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડૅ
- રોજગાર સમાચાર
- પ્રાથમિક શાળાઓના બ્લોગ
- પાઠ્ય પુસ્તક મંડળ (ગુજરાત)
- ગુજરાતી બ્લોગર
- પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
- નિયામક, ટેકનિકલ શિક્ષણ
- અક્ષરજ્ઞાન અને સતત શિક્ષણ નિયામક
- ભરતી ના પરિપત્રો
- અનુદાન ના પરિપત્રો
- અગત્યની લિંક યાદી
- સન્માનપત્ર
- પેંન્શન ના પરિપત્રો
- માધ્યમિક શાળાઓ ના પરિપત્રો
- રજા ના પરિપત્રો
- પગાર ના પરિપત્રો
- પાલનપુર
- અન્ય પરિપત્રો
- પ્રાથમિક શાળાઓ ના પરિપત્રો
- જી.આર ઓનલાઈન
- પંચશીલ ડીસા વેબસાઇટ
- બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ - વર્ષ ૨૦૨૦ ની કારોબારી રચના
રવિવાર, 9 ડિસેમ્બર, 2012
સંશોધન અને તાલીમ
સંશોધન અને તાલીમ
પ્રાથમિક શિક્ષણ | ||
. | જીસીઇઆરટી : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ | |
---|---|---|
. | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર | |
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ | ||
. | શિક્ષકોને કમ્પ્યુટર એડેડ લર્નિગ સંદર્ભે વિનામૂલ્યે તાલીમ | |
. | માધ્યમિક શિક્ષક તાલીમ |
શિક્ષણ વિભાગ- એચ.ઓ.ડી. અને બોર્ડ
શિક્ષણ વિભાગના ઠરાવો
. | પ્રાથમિક શિક્ષણના અગત્યના અદ્યતન ઠરાવો | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
. | માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અગત્યના અધ્યતન ઠરાવો | |||||||||||||||||||||||||
. | ઉચ્ચ શિક્ષણના અગત્યના ઠરાવ | |||||||||||||||||||||||||
. | ટેકનીકલ શિક્ષણના અગત્યના અધ્યતન ઠરાવો | |||||||||||||||||||||||||
. | માધ્યાહન ભોજન યોજના અગત્યના અધ્યતન ઠરાવો | |||||||||||||||||||||||||
. | અન્ય ઠરાવો | |||||||||||||||||||||||||
. |
|
શનિવાર, 8 ડિસેમ્બર, 2012
રક્ષાબંધન ઉજવણી
રક્ષાબંધન
ઉજવણી
શાળામાં નવા શૈક્ષણિક વર્ષમાં ત્રિજા ઉત્સવ તરીકે રક્ષાબંધનના તહેવારની ઉજવણી તારીખ ૨-૮-૨૦૧૨ ના રોજ કરવામાં આવી હતી. ઉજવણી દરમીયાના વિધાર્થીઓને આ તહેવારના મહિમાની સમજ શાળાના શિનિયર શિક્ષકશ્રી મયુરભાઈ દવેએ આપી હતી પછી શાળાના આચાર્યશ્રીએ ભાઈ-બહેનના પવિત્ર સબંધના મહિમાની વાતો કરી આ તહેવાર ની ઈતિહાસીક ધટનાઓની વાતો કરી હતી અને શાળાના તમામ વિધાર્થીઓને શાળાની દિકરીઓએ કંકુ થી તિલક કરી રાખડી બાધી હતીભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરકશુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇનેકોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂપ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલેઅંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અનેદેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.
�
આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધીહતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાનાપ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.
�
હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇનાકાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીનેકોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમીઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.
�
શુધ્ધ ભાવે, ખરા અંતઃકરણપૂર્વક કોઇના શ્રેય માટે કરાયેલી ઇચ્છા નિષ્ફળજતી નથી. ઇચ્છા-સંકલ્પ એક અમોઘ શક્તિ છે, ઘણું ઘણું કરવા સમર્થ એવી શક્તિછે. દૃઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઇચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાંઅનેરું અને અનોખું સામર્થ્ય છે. સંકલ્પ એ ચમત્કારનો જન્મદાતા છે, સિદ્ધિઅને પ્રગતિનો પ્રેરક છે. સંકલ્પ વડે ગમે તેવા અશક્ય કાર્યો પણ સિદ્ધ થાયછે.
�
દરેકે દૃઢ સંકલ્પ-શક્તિના સહારે કઠોર તપશ્ચર્યા કરીને પરમ કૃપાળુપરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એવી અવિચળ શ્રદ્ધાના જોરે માટીના માનવીએઅનેરી, અનોખી અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દૃઢ સંકલ્પ અને અંતરનીઆશિષોએ અશક્યને શક્ય બનાવ્યું છે. આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ.
�
પરંતુ આત્મા શુદ્ધ હોવો જોઇએ, નિર્મલ અને દોષરહિત હોવો જોઇએ, તો એવાઅંતરાત્માથી ઉઠેલી આશિષ એળે (વ્યર્થ) જતી નથી. ભાઇના કાંડે રાખડી બાંધતીબહેન જો એવા આશિષ આપી શકે તો તેના ભાઇની રક્ષાની ખાતરી મળી જાય છે. માનવીનાસંસારી જીવનની આ ભવ્ય ભાવનાની યાદ અપાવવા આ રક્ષાબંધનના તહેવારનું આયોજનકરવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારનું મહત્વ સ્નેહ, સદભાવ અને અન્યોન્યશુભેચ્છા વધે તેનું છે.
રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતુંતેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડીબાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્તસ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખેછે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.
�
રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરેછે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વઆપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એમૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજેએ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કેસૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.
�
પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારેઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજયપ્રાપ્ત કર્યો હતો.
| |
તારીખ : 01/08/2012
વિશ્ર્વ વસ્તી દિવસ ઉજવણી
વિશ્ર્વ વસ્તી દિવસ
ઉજવણી
તા.૧૧/૭/૧૨ના રોજ શાળામાંવિશ્વ વસ્તી દિનનીતથા વિશ્વ વસ્તી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.. અને પ્રાર્થના સભામાં શાળાના આચાર્ય એન.એ.પરમારદ્વારા વિશ્વ વસ્તી સપ્તાહ ઉજવણીની દિપ પ્રાગટય દ્વારા શુભ શરૃઆત કરવામાં આવી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ સૂત્રો પોકારતા બેનરર્સ સાથે ગામમાં વિશાળ રેલી સ્વરૃપે પહોંચી વસ્તી વિસ્ફોટની સમસ્યાથી ડીસાનગરનાલોકોને વાકેફ કર્યાહતા તથા ૧૩ વર્ષમાં વિશ્વની વસ્તી આઠ અબજને પાર કરી જવાની છે ત્યારે ભારતમાં જાગૃતિ�માટે� તા.૧૧ જુલાઈનો દિવસ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવાયછે. આગામી ઈ.સ. ૨૦૨૫સુધીમાં સમગ્ર વિશ્વની વસ્તી આઠ અબજના આંકને પાર કરી જવાની છે. તો એકલાભારતની વસ્તી ઈ.સ. ૨૦૨૫ સુધીમાં ૧.૭ અબજના આંકને આંબી જવાની છે ત્યારેસમગ્ર વિશ્વમાં આજે વસ્તી વિસ્ફોટ એક મુખ્ય સમસ્યા બની ગઈ છે ત્યારેશિક્ષણ, આરોગ્ય, રોજગારી, હરિયાળી જેવા મુદ્દે વસ્તી વિસ્ફોટએક મોટી સમસ્યા બની ગઈ છે. | |
તારીખ : 11/07/2012
ગુરુ પુર્ણિમા ઉજવણી
ગુરુ પુર્ણિમા
ઉજવણી
શાળામાં તા.૨-૭-૨૦૧૨ના રોજ ગુરુ પુર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રાર્થના સભામાં ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છેતેના વિશે વિધાર્થીઓને માહિતી આપી �ગુરુ મહિમા વિશે વાર્તાલાપ રાખી શાળાના વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગુરુ મહિમા મનુષ્યનેજન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાનવિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવામાટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન.ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે.‘ગુ‘ એટલે અંધકાર અને‘રૂ‘ એટલે પ્રકાશ.શિષ્યમાંઅજ્ઞાન રૂપીઅંધકારનેદુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષછે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , જેમને જીવન મૃત્યુથી ઘેરાયેલુંલાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાનીઅભિલાષા પ્રગટી છે એવા �લોકો જ સાચા ગુરુને શોધી શકે છે.પરમાત્માને શોધવામાટે કોઈ કૈલાસ ,કાશી કે કાબામાં જવાની જરૂર નથી.પરમાત્મા ત્યાં છે જ્યાંસદગુરૂનો વાસ છે.ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. તેથી ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ .� ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે, શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ || વળી, “ગુરુગોવિંદદોનું ખડેકિસકોલાગુપાય,બલિહારીગુરુઆપકી, ગોવિંદદિયોબતાય“ અર્થાત,ગુરુનીમહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતાપ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એનીઝાંખી કરી શકે છે.� શાસ્ત્રો, ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયાં છે. ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમનેવફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે.� એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ�દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ�કહેવાય�!� ગુરુ-શિષ્યપરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણઅને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવીગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાંછે.આ�દ્રષ્ટાંત એ સૂચવે છે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈભેદ હોતો નથી.એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે. ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાંવચનો અને ઉપદેશ એ એક મંત્ર �જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટેમોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે. | |
તારીખ : 02/07/2012
26મી જાન્યુઆરી ઉજવણી
પ્રવૃત્તિઓ - 26મી જાન્યુઆરી
ઉજવણી
26 મી જાન્યુઆરી-2012 નાપ્રજાસત્તાક દિન ની ઉજવણી શાળાના મેદાનમાં શાળામંડળના પ્રમુખશ્રી માન. શ્રી પી.એચ. ભાટી સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતી, ૬૩મા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન નો કાર્યક્રમ સવારે ૯.૧૫ કલાકે રાખવામાં આવ્યો હતો. ધ્વાજારોહણનો કાર્યક્રમ પત્યા પછી શાળાના વિધાર્થી-વિધાર્થીનીઓએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા જેમાં ગુજરાતની આગવી ઓળખ એવો ગરબો,રાજેસ્થાની નુત્ય-ધુમર, અભિનયનુત્ય, નાટક, યોગાસનો, વેશભુષા, વગેરે કાર્યક્રમ રાજુ કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓમાં જે વિધાર્થીઓએ સારો દેખાવ કરી વિવિધ સ્તરે નંબર મેળવેલ હતા તે દરેક વિધાર્થીઓને શાળા તરફથી પ્રોત્સાહન માટે પ્રમાણપત્ર તથા પ્રમુખશ્રીએ રોકડ ઇનામ આપ્યા હતા આમ સંદર વાતાવરણમા 26 મી જાન્યુઆરી-2012 નાપ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી. | |
તારીખ : 12/01/2012
સ્વાત્તંત્ર્ય દિન ઉજવણી
પ્રવૃત્તિઓ - સ્વાત્તંત્ર્ય દિન
ઉજવણી
૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ૨૦૧૨ ની ઉજવણી શાળામાં શાળા મંડળના પ્રમુખશ્રી શ્રી પી.એચ.ભાટીના �અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ શ્રાવણ માસના રમણીય વાતાવરણમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી વરદ્દ હસ્તે સવારે ૮.૩૦ કલાકે રાખવામાં આવ્યો હતો. ધ્વજવંદન કાર્યક્રમમાં શાળા પરીવાર ઉપરાંત નજીકમાં વ્યવસાય કરતા નગરજનો ઉપસ્થીત રહ્યા હતા.ધ્વજવંદન પછી શાળાના બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો આપી ઉપસ્થીત મહેમાનોના મન જીતી લીધા હતા અને પ્રમુખ સાહેબે સર્વ પરીવારને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના આપી અને ભાવી નાગરીક તરીકેની ફરજોથી વિધાર્થી-વિધાર્થીનીઓને માહિતગાર કર્યા હતા�ભારતના દરેક નાગરિકની ફરજ નીચે મુજબ રહેશે :
(ક) સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;(ખ) આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હ્રદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;
(ગ) ભારતનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;
(ઘ) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રિય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની;
(ચ) ધાર્મિક, ભષાકીય, પ્રાદેશિક, અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતનાં તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વ્રુદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનીત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની;
(છ) આપણી સમંવિત સંસ્ક્રુતિના સમ્રુદ્ધ વારસાનું મુલ્ય સમજી તે જાળવી રાખવાની;
(જ) જંગલો, તળાવો, નદીઓ, અને વન્ય પશુપક્ષીઓ સહીત કુદરતી પર્યાવરણનુંજતન કરવાની અને તેની સુધારણા કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવોપ્રત્યે અનુકંપા રાખવાની;
(ઝ) વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની;
(ટ) જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;
(ઠ) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતતપ્રગતી કરતું રહે એ માટે, વૈયક્તિક અને સામુહિક પ્રવ્રુત્તિનાં તમામક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
| |
તારીખ : 15/08/2012
પ્રવૃત્તિઓ - શિક્ષક દિવસ
પ્રવૃત્તિઓ - શિક્ષક દિવસ
શિક્ષક દિવસ
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિની સ્મૃતિમાં દેશભરમાંથી શિક્ષક દિનનીઉજવણી અમારી શાળા સહિત જિલ્લાની તમામ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓએ ખુદ જપોતાની સાથે જ અભ્યાસ કરતાં સહપાઠીઓના એક દિવસના શિક્ષક બની હોંશભેર ઉજવણીકરી હતી .વર્તમાન સમયમાં સતત પરિર્વિતત થઇ રહેલા અને મોંઘાદાટ બની રહેલાશિક્ષણ શિક્ષકની પરિસ્થિતિને વાગોળવાથી દુર જઇને પણ પ્રાથમિક શિક્ષકથીભારતના રાષ્ટ્રપતિ પદે પહોંચેલા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિએ�શાળામાં શિક્ષકની ઉજવણી કરવામાં આવીહતી. આખુ વર્ષ એકજ પાટલી પર બેસી અભ્યાસ કરતા અને સતત શિક્ષકોથી ડર અનુભવતાવિદ્યાર્થીઓ આજે એક દિવસ માટે કુલ 12 વિધાર્થીઓ અને 7 વિધાર્થીનીઓએ શિક્ષકો બની પોતાની કાબેલીયાત પ્રદર્શિત કરીહતી.સ્કૂલ ડ્રેસમાંથી શિક્ષક પરિધાનમાં સજજ બની શિક્ષક દિનની ઉજવણીમાંજોડાયેલા વિદ્યાર્થીઓએ હોંશભેર પોતાના સહપાઠીઓને શિક્ષક જેવું જ જ્ઞાનઆપવાનો પ્રયાસ કર્યો હતો. આજની વર્તમાન પરિસ્થિતિમાં અગાઉ વાલીઓ અનેવિદ્યાર્થીઓમાં શિક્ષક દિન નિમિત્તે પોતાનું સંતાન કે વિદ્યાર્થી પોતેશિક્ષક બનવામાં ભાગ લે એ વિસરાયું રહ્યું છે. દેશભરમાં વર્ષોથી પાંચમીસપ્ટેમ્બરના રોજ ઉજવાતા શિક્ષક દિન નિમિત્તે આજે ગુજરાતના મુખ્યમંત્રીદ્વારા જીવંત પ્રસારણના માધ્યમથી શિક્ષકો અને� વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનોપ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમાં પણ શાળાના વિધાર્થીઓએ ભાગ લઇ કાર્યક્રમ નિહાળ્યો હતો. | |
તારીખ : 05/09/2012
શિક્ષક દિન
શિક્ષક દિન
ખુબ સાદી અને સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે . સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી કે ખરાબ છબી ઉપસતી હોય છે .દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ? આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .’ આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી . શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ શિક્ષણ , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .
ખુબ સાદી અને સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે . સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી કે ખરાબ છબી ઉપસતી હોય છે .દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ? આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .’ આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી . શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ શિક્ષણ , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .
શિક્ષક દિન
” જગ છે એનું મૂક પરીક્ષક, ચાલે એનું સતત પરીક્ષણ,
ને ના થાયે પૂરું શિક્ષણ શિષ્યતણું, જેનો છું શિક્ષક.”
૫ સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે ‘શિક્ષક દિન’. તમે પણ આ દિવસની ઉજવણી ખાસ રીતે કરવાની જોરદાર તૈયારીઓ કરી હશો.
આ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી.
” ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.
જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”
‘ Good teachers Think before they act, Think while they act, Think after they act.’
(સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે, અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.)
દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. એક છે માતા અને બીજા ઉત્તમ શિક્ષક. માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે, પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષક પાસેથી પ્રાપ્ત કરે છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે.
“આજે આપણે એ શિક્ષણ ની જરૂર છે કે જેનાથી ચારિત્ર્ય નિર્માણ થાય, મન ની સુષુપ્ત શક્તિઓ જાગે, જેનાથી બુધ્ધિમત્તા નું વિસ્તરણ થાય અને જે માણસ ને બહાર નાં બધા જ સહારા છોડાવી ને તેને પોતાના પગ પર ઉભો કરી શકે.”
- સ્વામી વિવેકાનંદ
ગુજરાતી સાહિત્ય જગત -રીડ ગુજરાતી
ગુજરાતી સાહિત્ય જગત
શિક્ષક ઉપયોગી બ્લોગ- વેબ સાઈટ
શ્રેણી:ગુજરાતી કહેવતો -
ગુજરાતી કહેવતો « "ફૂલવાડી"
ગુજરાતી કહેવતો | "જ્ઞાનનું ઝરણું"
કહેવત | ગુજરાતી | કહેવતો | Gujarati Kahevat >> ટહુકાર.કોમ
કહેવતો- ટહુકાર
જનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન ) « સામાન્ય જ્ઞાન
જનરલ નોલેજ ગુજરાત – 1
ગુજરાત જનરલ નોલેજ – 2 « સામાજિક
: ગુજરાત જનરલ નોલેજ-3
શિક્ષક ઉપયોગી બ્લોગ- વેબ સાઈટ
શ્રેણી:ગુજરાતી કહેવતો -
ગુજરાતી કહેવતો « "ફૂલવાડી"
ગુજરાતી કહેવતો | "જ્ઞાનનું ઝરણું"
કહેવત | ગુજરાતી | કહેવતો | Gujarati Kahevat >> ટહુકાર.કોમ
કહેવતો- ટહુકાર
જનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન ) « સામાન્ય જ્ઞાન
જનરલ નોલેજ ગુજરાત – 1
ગુજરાત જનરલ નોલેજ – 2 « સામાજિક
: ગુજરાત જનરલ નોલેજ-3
રાજ્ય આચાર્ય સંઘ
પરિપત્રો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)